મા ચેહર મા ની દયા
*મા ચેહર મા ની દયા* ભક્તિ ભાવ...૨૩-૮-૨૦૨૦
અંતરથી જપીશુ તો ચેહર મા ની સદા દયા રહે છે,
આદત પડી જશે જો ચેહર મા ની તો સુખ મળે છે.
ભાવનાના ભાવથી ભજી ને ચેહર મા ને પાર ઉતરાય છે,
ચેહર મા ને જોઈ દુનિયા ભૂલાઈ જાય છે.
રમેશભાઈ એજ કારણે જિંદગી સમર્પિત કરી ચેહર મા ને,
ગોર ના કુવે બેઠાં જુઓ પરચા કેવાં પૂરે છે.
આવે નહી મજા ભટ્ટ પરિવારને ચેહર મા નાં નામ વગર,
લેશો સ્વયં તમે તો જાણસો ચેહર મા નો મહિમા.
રૂપા બા, નાયણા નાગરની ભક્તિએ પેઢીઓના નામ અમર કર્યા છે,
નજરે જુવો ચેહર મા તો જીવન સફળ કરે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment