તર્પણ.. ૯-૧૨-૨૦૨૦

*તર્પણ* અછાંદસ કાવ્ય.. ૯-૧૨-૨૦૨૦

આસ્થા ઈશ્વર પર રાખી બેઠી, 
તર્પણ શ્રધ્ધાનું દિલથી કરી બેઠી.

ભાવનાઓનો ભૂખ્યો ઈશ છે,
છપ્પનભોગનો થાળ ધરાવી બેઠી.

નદીમાં નીર  વહે તર્પણ  તણાં,
ભુખ્યાને નજરઅંદાજ કરી બેઠી.

ઈશ્વરની પૂજા ના કરો પણ,
સાચું શ્રધ્ધાનું તર્પણ કરી બેઠી.

ધર્મ એક છે, નેક બની જીવીએ,
ધર્મને શ્રધ્ધા અર્પણ કરી બેઠી. 
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖➖〰️

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ