ઈમાનદારી... કવિતા.. ૫-૨-૨૦૨૧

*ઈમાનદારી* ૫-૨-૨૦૨૧

લાંચરુશવતમાં ઝુકી ભૂલા પડ્યાં,
ઈમાનદારીથી જીવન પાછું જડ્યું.

બેઈમાનીમાં ડૂબી ગયેલાં જીવનને,
ઈમાનદારીથી બીજાને પણ નડ્યું.

ભાવના સત્ય કહ્યું કોઈએ નથી,
ઈમાનદારીથી સત્યનું ચાનક ચડયું.

રોજ પંપાળ્યા કરું છું ઈમાનદારી,
એટલે ક્યારેય બેઈમાન ન થવાયું.

ઠીક લાગે એમ સૌ દોડતા રહ્યાં,
ઈમાનદારીથી આ જીવન ઘડાયું.
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ