અન્યાય... કવિતા

*અન્યાય* ૩૧-૩-૨૦૨૧

અન્યાય કર્યે ઘરમાં ઝઘડાં ઝાઝાં લાવે છે,
કૂડા કર્મોથી જિંદગીમાં વેરો આતરો થાય છે.

ભેદભાવથી ઘરમાં ભાગલા પડી જાય છે,
એક સારો ને બીજો નરસો એ તફાવત દઝાડે છે.

વેરો આતરો એ છળકપટ નાં કામ છે,
ન્યાય પૂર્વક નિતી ઘરમાં સ્વર્ગ લાવે છે.

ભાવના આ ભેદભાવ અહીં ઓછાં જાણે છે,
માટેજ ઘેર ઘેર માટીનાં ચૂલા હજુયે છે

જમવામાં જગલો ને કૂટવામાં ભગલો હોય છે.
આ વેરો આતરો દુઃખનું કારણ બને છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ