એક આશરો ચેહર મા
*એક આશરો ચેહર મા* ભક્તિ ગીત.. ૩૦-૮-૨૦૨૦
એક ચેહર મા ને ભજવાથી દુઃખમાં સુખ ને તૃપ્તિ મળે છે,
ભાવના સભર દિલથી ભજું તો તૃપ્તિ મળે છે.
જિંદગીનાં આ મેળામાં દરેક નાટક ભજવે છે,
અનાયાશે ચેહર મા નાં દર્શનથી મનને તૃપ્તિ મળે છે.
માઈ ભકત રમેશભાઈ અંતરથી આશિષ આપે છે,
ગોરના કુવે ચેહર મા ને જોતાં જ તૃપ્તિ થાય છે.
ભટ્ટ પરિવાર નિત્ય જપે ચેહર મા, એથી સુખ મળે છે,
રૂપા બા, નાયણા નાગરે પેઢીઓને તારી એથી સુખ મળે છે.
ખુશીનો ખજાનો શોધવા ચેહર મા ને ભજો,
ચેહર મા ની કૃપા નો ઘટાઘનઘોર વડલો મળે તો તૃપ્તિ થાય છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
Comments
Post a Comment