અત્યાચાર....૩-૧૨-૨૦૨૦

*અત્યાચાર*  મૌલિક રચના.. ૩-૧૨-૨૦૨૦

અત્યાચાર કરી શોષણ કરે છે,
આમજ નારીને નિર્વસ્ત્ર કરે છે. 

અઢળક દુઃખ આપી જલાવે છે,
દિકરીનું શોષણ કરી મારી દે છે.

કુમળી એ કળીને એમ હણે છે, 
નરાધમોને  સજા ક્યાં મળે છે?. 

નરપિશાચો ચોતરફ ફેલાયેલા છે,
દિકરી  ભયથી  થરથર  ધ્રુજે  છે.

અત્યાચારો એ તો હદ વટાવી છે,
હવે સમજમાં જાગૃતિ જરૂરી છે..

ભાવના આ જોઈને હૈયું રડે છે,
છતાંય તારણહાર ક્યાં મળે છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ