મારી ડાયરી..

*મારી ડાયરી*    ૩૧-૮-૨૦૨૦ સોમવાર

આમ લાગણીઓમાં જ રહેતી એક વ્યક્તિ,
ભાવનાઓ સભર લાગણીશીલ વ્યક્તિ ની લાગણી ને મજબૂરી ના સમજવી.
કારણ કે,
લાગણી તેની મજબૂરી નહીં સ્વભાવ છે.
લાગણી તેના જીવનનું એક મજબૂત પાસું છે,
લાગણી ની પરીક્ષા ક્યારેય
પરોક્ષ કે પ્રતિયક્ષ ના લેવી,
કેમ કે....
લાગણી ક્યારેય પરીક્ષા નથી આપતી 
તે મરી જાય છે.
અને પછી 
રહી જાય છે મૃતપાય સંબંધ,
જે એક બોજ બની જાય છે જીવનભર...
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments